જૂનાગઢમાં પત્નીના આપઘાત બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી

જૂનાગઢ : જૂનાગઢમાં પત્નીના આપઘાત બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવીને અંનતની વાટ પકડો હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભવ્યભાઇ મનીષભાઇ વશા (ઉ વ ૨૭ રહે.જુનાગઢ) નામના યુવાને જૂનાગઢના વણજારી ચોક પાસે ગઈકાલે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતકની પત્નિએ અગાઉ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોય જેથી આ બાબતનું લાગી આવતા પતિએ પણ દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.