કરીયાવર ન લાવતા પરિણીતાને ગરીબ ઘરની દીકરી કહી મેણાટોણા માર્યા

વીસાવદરના પ્લાસવા ગામે બનેલા બનાવમાં પતિ અને સાસરિયા સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : વીસાવદરના પ્લાસવા ગામે કરીયાવર ન લાવતા પરિણીતાને પતિ અને સાસરિયાએ ગરીબ ઘરની દીકરી કહી મેણાટોણા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. તેમજ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપ્યાની પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દયાબેન ભરતભાઇ પીપળીયા (ઉ.વ.૨૫ રહે.મુળગામ પ્લાસવા તા.જી.જુનાગઢ હાલ મુડીયા રાવણી તા.વિસાવદર)એ આરોપીઓ ભરતભાઇ ઉકાભાઇ પીપળીયા (પતિ), દીલીપભાઇ ઉકાભાઇ પીપળીયા (જેઠ), સુમીતાબેન દીલીપભાઇ પીપળીયા (જેઠાણી), ગીતાબેન ઉકાભાઇ (નણંદ), ચંદ્રીકાબેન ઉકાભાઇ (નણંદ) (રહે.તમામ કોળીવાડા પ્લાસવા ગામ તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ ફરીયાદીને માવતરનાં ઘરેથી કરીયાવરમાં કંઇ લાવેલ ના હોય તુ ગરીબ ઘરની દીકરી છે તેવા મેણાટોણા મારી શારીરીક દુખત્રાસ આપી તેમજ પતિ મેણાંટોણાં મારી ફરીયાદીને અવારનવાર માર મારતા માવતરે જતુ રહેવાની કહેતા જેથી તમામ શારીરીક અને માનસીક દુઃખત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.