માણાવદર તાલુકામાં રૂ. ૧૧૩.૫૫ લાખના વિકાસકામોને મંજુરી

જૂનાગઢ : માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.૧૧૩.૫૫ લાખના વિકાસકાર્યોને મંજુરી આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા આયોજન મંડળ દ્વારા આ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે.

આ વિકાસકામો ૧૫ ટકા વિવેકાધિન તેમજ ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇની ગ્રાન્ટમાંથી હાથ ધરાશે. સ્થાનિક જરૂરિયાતોને લક્ષમાં લઇ વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે.