જૂનાગઢના મજેવડી ગામેં લાપતા પરિણીતાનો બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

જૂનાગઢ : જૂનાગઢના મજેવડી ગામેં લાપતા પરિણીતાનો બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગીતાબેન મહેશભાઇ બારૈયા (ઉ.વ ૩૮ રહે મજેવડી ગામ તા.જી જુનાગઢ) નામના પરિણીતા તા. ૨૩ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર જતા રહેલ હોય અને ગઈકાલે તા. ૨૪ના રોજ ઝાલણસર ગામે પરબડી રોડ ઉપર નદીના કાંઠે બાવળના ઝાડ સાથે તેમનો ગળાફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.