માંગરોળ બંદરે દીરીયો ખેડતી વખતે હાર્ટએટેકથી માછીમારનું મોત

જૂનાગઢ :માંગરોળ બંદરે દીરીયો ખેડતી વખતે હાર્ટએટેકથી માછીમારનું મોત થયું હતું. આ બનાવની માંગરોળ મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર કીશનભાઇ મગલાભાઇ વારલી (ઉ.વ ૫૪ રહે માણેકપુર તા.ઉમરગામ જી.વડસાલ) નામના માછીમાર ગઈકાલે માંગરોળ બંદરે દીરીયામાં ધરમીરાજ નામની બોટમાં મચ્છીમારી કરતા હતા. ત્યારે તેમને અચાનક હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.