માંગરોળમાં ઘરના કામકાજ બાબતે પતિએ પત્નીને માર માર્યો

પત્નીએ તેના પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

જુનાગઢ : માંગરોળમાં ઘરના કામકાજ બાબતે પતિએ પત્નીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પત્નીએ તેના પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શબનમબેન અહેમદભાઇ બ્લોઝ (ઉ.વ. ૩૦ રહે.માંગરોળ શાપુર રોડ ગરદમ સોસાયટી)એ આરોપી અહેમદભાઇ જુમ્માભાઇ બ્લોઝ (રહે. ધરાનગર જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ફરીયાદીના પતિ થાય છે. અને અવાર નવાર કામકાજ બાબતે મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપી ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.