માણાવદરના મીતડી ગામેં કુવામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત

જૂનાગઢ : માણાવદરના મીતડી ગામેં કુવામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કાંન્તાબેન દુદાભાઇ દેસાઇ (ઉ.વ.૯૦ રહે.મીતડી પ્રા.શાળા પાસે તા.માણાવદર) નામના વૃદ્ધા છેલ્લા બે વર્ષથી માનસીક બીમારી હોય અને અવાર નવાર ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતા રહેતા હોય અને ગઇ તા.૨૨ના રોજ બપોરનાના સમયે પણ કોઇને જાણ કર્યા વગર જતા રહયા હતા અને મીતડી ગામમા આવેલ ગ્રાંમ પંચાયતના કુવામા પાણીમા ડુબી જવાના તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.