ચણા-મેથીનું અથાણું અને ભાખરી કે રોટલી ખાવાની બહુ જ મજા આવે છે. જો કે ઘણાં લોકો કહે છે કે ચણા-મેથીનું અથાણું બારે મહિના સારું રહેતુ નથી. આમ જો તમારી પણ આ ફરિયાદ છે તો તમે પણ આ રીત નોંધી લો. આ રીતે ઘરે તમે ચણા-મેથીનું અથાણું બનાવશો તો ટેસ્ટમાં એકદમ મસ્ત બનશે અને બારે મહિના કલર એવો ને એવો જ રહેશે.
ચણા-મેથીનું અથાણું બનાવવાની સામગ્રી
1. 2 કપ દેશી ચણા
2. 2 કપ મેથી
3. 1 કિલો અથાણાંની કેરીના ટુકડા
4. આચાર મસાલો
5. હળદર
6. સ્વાદાનુંસાર મીઠું
ચણા-મેથીનું અથાણું બનાવવાની રીત
1. ચણા-મેથીનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ અથાણાંની કેરીને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો.
2. ત્યારબાદ કેરીના નાના-નાના કટકા કરી લો અને એક કોટનના કપડામાં કોરા કરી લો.
3. હવે આ કેરીના ટુકડાને હળદર અને મીઠાવાળાં કરીને બે દિવસ માટે ઢાંકીને રહેવા દો.
4. આ પ્રોસેસ થઇ જાય પછી હવે ચણાને અને મેથીને બે વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો.
5. હવે ચણા અને મેથી એમ બન્ને અલગ-અલગ વાસણમાં પલાળી લો. ધ્યાન રહે કે આ બે વસ્તુ એક જ બાઉલમાં નથી પલાળવી, નહિં તો મેથીની કડવાશ લાગશે.
6. આ ચણા અને મેથીને બે દિવસ માટે પાણી પલાળી રાખો. પાણી તમારે બદલવાનું રહેશે.
7. હવે બે દિવસ પછી એટલે કે ત્રીજા દિવસે બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી કોટનના ચોખ્ખા કપડાથી લૂંછી લો.
8. આ બધું કોરું થાય એટલે એક મોટુ વાસણ લો અને એમાં આ બધુ બરાબર મિક્સ કરી લો.
9. ત્યારબાદ આમાં કેરીના ટુકડા અને આચાર મસાલો એડ કરો.
10. હવે આ અથાણાંને કાચની બોટલમાં ભરી લો અને પછી બીજા દિવસે ગરમ કરેલું તેલ મિક્સ કરો.
11. અથાણું પૂરેપુરં તેલમાં ડુબેલું રહે એ ખાસ ધ્યાન રાખજો.
તો તૈયાર છે ચણા-મેથીનું અથાણું.