સગાઈની ના પાડતા યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

જૂનાગઢના બીલખા રોડ ઉપર આવેલ આંબેડકર નગર વિસ્તારની ઘટના

જૂનાગઢ : જૂનાગઢના બીલખા રોડ ઉપર આવેલ આંબેડકર નગર વિસ્તારમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં સગાઈની ના પાડતા યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટીશાબેન કિશોરભાઈ મહીડા (ઉ.વ.૧૯, રહે બીલખા રોડ આંબેડકર નગર શેરી નં. ૩ જુનાગઢ) નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક પોતાની સગાઈની ના પડતા લાગી આવતા પોતે પોતાની રિતે રૂમમાં સિલિન્ગ પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ લીધો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.