જૂનાગઢમાં દારૂ પિવાની ટેવ અને બેકારીથી કંટાળી યુવાનનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢમાં દારૂ પિવાની ટેવ અને બેકારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સિધ્ધાર્થ પુંજાભાઈ વાઘ (ઉ.વ.૩૦ રહે.આબેંડકરનગર જુનાગઢ) નામનો યુવાન દારૂ પિવાની ટેવવાળો હોય અને કાંઈ કામ-ધંધો કરતો ના હોય તેથી બેકારીથી કંટાળી જઈને ગળાફાસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.