જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠક મળશે.

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૨૩ એપ્રિલનાં રોજ ૪ કલાકે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવીંદભાઇ રૈયાણીના અધ્યક્ષ સ્થાને મળશે. આ બેઠકમા ગ્રામ્ય વિસ્તારોમા હાથ ધરાનાર આયોજન મંડળના કામોને મંજૂરી આપવામાં આવશે.ઉપરાંત અગાઉના વર્ષોના રીવાઇઝ્ડ કામોને બહાલી અપાશે. તેમજ સામાજિક શૈક્ષણીક રીતે પછાત વર્ગોના ઉતકર્ષ માટેના કામો મંજૂર કરાશે.