ઘરકંકાસમાં પરિણીતાને પતિ અને સાસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ

કેશોદમાં હાલ પિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદમાં હાલ પિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ઘરકંકાસમાં પરિણીતાને પતિ અને સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિવ્યાબેન ઉર્ફે દિપીકાબેન તનસુખગીરી મેઘનાથી (ઉ.વ.૩૦ રહે.ત્રીલોકપરા કેશોદ/પિતા-પ્રવીણગીરી દેવગીરીના ઘરે)એ તેના પતિ તનસુખગીરી મકનગીરી મેઘનાથી, સાસુ મુકતાબેન મકનગીરી મેઘનાથી , દિયર યોગેશગીરી મકનગીરી મેઘનાથી, દેરાણી હેતલબેન યોગેશગીરી મકનગીરી મેઘનાથી (રહે.બધા કેશોદ શાસ્ત્રીનગર, પાનદેવસાજની સામે, દીપક ટ્રાન્સપોર્ટ કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદી બેનને તેઓના લગ્ન સમયગાળા દરમ્યાન તેઓના પતિ તથા સાસુ તથા દેર દેરાણીએ શારિરીક તથા માનસીક દુખત્રાસ આપી મેણાં-ટોણાં મારી, ગાળો બોલી, ફરીયાદીને તેઓના પતિએ અવાર-નવાર શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.