ચોરવાડ નજીક ભાઈ સાથેના મનદુઃખનો ખાર રાખી આધેડને માર માર્યો

જૂનાગઢ : ચોરવાડ નજીક ભાઈ સાથેના મનદુઃખનો ખાર રાખી આધેડને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી જમનભાઇ મીઠાભાઇ સોલંકી (ઉ.વ.૫૫ રહે.ગોતાણા નવા પાણીના ટાંકા પાસે)એ આરોપીઓ જીકાભાઇ કારાભાઇ સોલંકી, જીવનભાઇ ભીખાભાઇ સોલંકી, અજયભાઇ ડાયાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને તેના ભાઇ ભીખાભાઇ સાથે મન:દુખ હોય જે બાબતે તેઓને આરોપીની સાથે વાતચીત કરવા રોકાવતા પાછળથી અન્ય આરોપીઓએ આવીને ફરીયાદીને ગાળો કાઢી કાઠલો પકડી ઢીકાપાટુનો મારમારી ફરીયાદી ત્યાંથી દોડીને ભાગવા જતા આરોપીઓએ પથ્થરના છુટા ઘા મારતા ફરીયાદીના માથાના પાછળના ભાગે તથા જમણી બાજુ ખભામા ઇજા કરી હતી.