પથ્થરની ખાણની દિવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના દટાઈ જવાથી કરુણ મોત

માંગરોળ નજીક ચોરવાડ ગામે સર્જાઈ દુર્ઘટના

જુનાગઢ : માંગરોળ નજીક ચોરવાડ ગામે કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પથ્થરની ખાણની દિવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના દટાઈ જવાથી કરુણ મોત થયાનું સામે આવતા અરેરાટી મચી ગઇ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ નજીક ચોરવાડ ગામે આજે એક પથ્થરની ખાણની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતાં પથ્થરની ખાણમાં કામ કરતા શ્રમિકો દટાયા હતા. જેમાં દીવાલ માથે પડતા બે શ્રમિકો બે ટ્રેકટર સાથે દટાયા હતા. જયારે કામ કરતા બે શ્રમિકો કાટમાળ નીચે દબાઈ જતાં આ બન્ને મજુર યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને બન્ને મૃતકોને ચોરવાડની સરકારી હોસ્પીટલ ખાતે પી એમ માટે ખસેડાયા છે. જો કે વધુ મજુરો દટાયા છે કે કેમ તેની ખાત્રી કરવા પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.