જૂનાગઢમાં આજે રાત્રે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ

જૂનાગઢ : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજશે.

જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ સંચાલિત મધુરમ -૫ સોસાયટી જૂનાગઢના સહયોગ થી તા.૧૪/૦૪/૨૦૨૨ના રાત્રે ૯ કલાકે ગરબીચોક, અમૃત નગર મેઇન રોડ, મધુરમ, જૂનાગઢ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા જાણીતા કલાકાર કિરીટ મેવાડા માર્શ ઓફ મ્યુઝિકના સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.