જૂનાગઢમાં પત્ની સાથેના ઝઘડામાં લાગી આવતા પતિનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢમાં પત્ની સાથેના ઝઘડામાં લાગી આવતા પતિએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાહુંલભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ. ૩૫ રહે.અંબીકા ચોક જુનાગઢ) નામના યુવાનને તેની પત્નિ સાથેના ઝગડામા લાગી આવતા ગઈકાલે જૂનાગઢના તળાવ દરવાજા પાસે શહીદ પાર્કમા પોતાની મેળે ઘંઉમા નાખવાના ટીકડા જેવુ કાઈક પી જતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.