ચોરવાડના રાતળા વાડી વિસ્તારમાં વૃદ્ધનો આપઘાત

જૂનાગઢ : ચોરવાડના રાતળા વાડી વિસ્તારમાં વૃદ્ધે કોઈ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની ચોરવાડ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અરજણભાઇ નારણભાઇ ડાભી (ઉ.વ.૭૦ રહે. ચોરવાડ રાતળા વાડી વિસ્તાર તા.માળીયા હાટીના જી.જુનાગઢ) નામના વૃદ્ધ ગઈ તા.૧૮/૦૩/૨૦૨૨ ના રોજ ઘરના સભ્યો બહાર ગયેલ હોય અને ઘરે એકલા હોય સાંજના નવેક વાગ્યાના અરસામાં કોઇ પણ અગ્મય કારણો સર પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.