જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા “ગીર સાવજ” મગફળી – સોયાબીન બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી કરવી

ઓનલાઈન નોંધણી તા.૧૬ થી તા.૨૫ સુધી કરી શકાશે

ગત વર્ષે ૧૧૦૦ કવિન્ટલ મગફળી અને ૧૦૦ કવિન્ટલ સોયાબીનના બીયારણનું વેચાણ કરાયુ હતુ.

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૨ ઋતુમાં વાવેતર માટે મગફળીની GG-20, GJG-22 અને GJG-૩2 તથા સોયાબીનની GJS-૩ જાતોના પ્રમાણિત /ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ.ની વેબસાઈટ http://www.jau.in ઉપર તા.૧૬-૦૪-૨૦૨૨ થી તા.૨૫-૦૪-૨૦૨૨ સુધી કરવાની રહેશે.ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાત નું બિયારણ મળવાપાત્ર થશે.

જે ખેડૂતમિત્રોની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ,કૃષિ મહાવિદ્યાલય,જૂ.કૃ.યુ.,જૂનાગઢ (મેગાસીડ)ના સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નંબર-3) ખાતે લેવા આવવાનું રહેશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (3૦૦ કિ.ગ્રા. ડોડવા), અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે.

વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ http://www.jau.in જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ http://www.jau.inજોતા રહેવું. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૧૦૦ કવિન્ટલ મગફળી અને ૧૦૦ કવિન્ટલ સોયાબીનના બીયારણનું વેચાણ કરાયુ હતુ.જયારે આ વર્ષે ૨૦૪૭ કવિન્ટલ મગફળી અને ૨૦૦ કવિન્ટલ સોયાબીનનું નોંધણી કરાવનાર ખેડુતોને વેચાણ કરાશે. તેમ પ્રાધ્યાપક અને વડા બીજ વિજ્ઞાન ડો.જે.બી. પટેલે જણાવ્યુ છે.