જૂનાગઢના પ્લાસવા ગામેં ખાડામાં પટકાતા દિવ્યાંગ વૃદ્ધનું મોત

જૂનાગઢ : જૂનાગઢના પ્લાસવા ગામેં ખાડામાં પટકાતા દિવ્યાંગ વૃદ્ધનું મોત થયું છે. આ બનાવની જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મનસૂખભાઇ સખુભાઇ બાંભણીયા (ઉ.વ.૬૦ રહે.પ્લાસવા ગામ પાણીના ટાંકા પાસે તા.જી.જુનાગઢ) નામના વૃદ્ધને જન્મથી જ ડાબા પગે પોલીયો હોય અને પોતે લાકડીના ટેકે ચાલતા હોય અને શ્વાસની પણ બિમારી હોય અને શારિરીક રીતે અશક્ત પણ હોય અને ગતરાત્રીના સમય દરમ્યાન પોતાની મેળે પેશાબ કરવા જાગતા તેમનો પગ લપશી જતા ખાડામાં પડી જતા માંથાના ભાગે ઇજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.