લગ્નના બીજા દિવસથી જ પરિણીતાને પતિ અને સાસરિયાએ ત્રાસ આપ્યો

હાલ જૂનાગઢ રહેતી પોરંબદરની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ જૂનાગઢ રહેતી પોરંબદરની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્નના બીજા દિવસથી જ પરિણીતાને પતિ અને સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા આગળની તપાસ મહિલા પોલીસે હાથ ધરી છે.

જૂનાગઢના મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હીરાબેન કિરણભાઇ પરમાર (ઉ.વ.૩૭ રહે.પોરંબદર, નરસંગ ટેકરી ગંગેશ્વર મહાદેવ મંદીર પાસે હાલ ઝાંઝરડા રોડ, બી-૧૪ ખોડીયાર કૃપા જુનાગઢ) એ આરોપી પતિ કિરણભાઇજીવાભાઇ પરમાર, જીવાભાઇ સરમણભાઇ પરમાર, માલીબેન જીવાભાઇ પરમાર, રાહુલભાઇ જીવાભાઇ પરમાર (રહે. બધા નરસંગ ટેકરી, ગંગેશ્વર મહાદેવ મંદીર પાસે પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને લગ્નના બીજા દિવસથી કરીયાવર બાબતે મેણાટોણા મારી શારીરીક માનસીક દુઃખત્રાસ આપી ફરીયાદીને પોતાના પતિ સાથે બેંગલોર રહેતા હોય તે દરમ્યાન ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તથા ફરીયાદીના દિયરે પણ ફરીયાદીને ગાળો આપી ત્રાસ આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.