દ્રારકાના યુવાનનો કામધંધો બંધ થવાથી માણાવદર પાસે આપઘાત

જૂનાગઢ : દ્રારકાના યુવાને કામધંધો બંધ થવાથી બેકારીના કારણે માણાવદર પાસે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર રમેશભાઇ રામશીભાઇ જમોડ (ઉ.વ.૩૪ રહે. જામ રાવલ તા.જામકલ્યાણપુર જી.દેવભુમી દ્રારકા) નામના યુવાને ગત તા ૭ના રોજ માણાવદરના સરાળીયા ગામે થેપલા ગામે જતા રસ્તા પર છેલ્લા દોઢેક વર્ષથી કામકાજ ચાલતુ ન હોય અને આર્થીક રીતે ટેન્શનમા હોય જેના લીધે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.