જૂનાગઢ : દ્રારકાના યુવાને કામધંધો બંધ થવાથી બેકારીના કારણે માણાવદર પાસે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર રમેશભાઇ રામશીભાઇ જમોડ (ઉ.વ.૩૪ રહે. જામ રાવલ તા.જામકલ્યાણપુર જી.દેવભુમી દ્રારકા) નામના યુવાને ગત તા ૭ના રોજ માણાવદરના સરાળીયા ગામે થેપલા ગામે જતા રસ્તા પર છેલ્લા દોઢેક વર્ષથી કામકાજ ચાલતુ ન હોય અને આર્થીક રીતે ટેન્શનમા હોય જેના લીધે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
Popular Article
પેપર લીક કૌભાંડ સામે લડત ચલાવનાર યુવા નેતાની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રોષપૂર્ણ રેલી
વિદ્યાર્થીઓએ રેલી કાઢી કલેકટરને આવેદન આપીને યુવા નેતાને મુક્ત કરવાની માંગ કરી જૂનાગઢ : સરકારી ભરતીઓની પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર યુવા...
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં મનપાનો કર્મચારી ખાબક્યો
ઢોર પકડવા ગયેલ કેટલ ટીમનો કર્મી ખુલ્લા કૂવામાં પડી જતા ખુદ મનપાની જ ગંભીર બેદરકારી સામે આવી જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં ગઈકાલે...
જૂનાગઢમાં લાપત્તા અનાથ દિવ્યાંગ બાળકને શોધી કાઢતી પોલીસ, શાળા પરિવારને હાશકારો
બહેરા-મૂંગા બાળકને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કરતી એ ડિવિઝન ટીમ જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં એમ.જી. રોડ ઉપર આવેલ સરકારી બહેરા...