પશુપાલન મંત્રી દેવાભાઇ માલમ કાલે શનિવારે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે

જૂનાગઢ : પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ તા.૯/૪/૨૦૨૨ થી તા.૧૧/૪/૨૦૨૨ સુધી જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.

મંત્રી તા.૯/૪/૨૦૨૨ના સવારે ૯ કલાકે બગસરા ઘેડ ખાતે રસ્તાનુ ખાતમુહૂર્ત કરી ૯-૩૦ કલાકે બગસરા ઘેડ પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રીશ્રી સવારે ૧૧ કલાકે કેશોદ તાલુકાના ભાટગામે ૬૬ કે.વી.સબ સ્ટેશનના ખાતમુહૂર્તમાં, બપોરે ૧ કલાકે કેશોદ તાલુકાના ઘંસારી તેમજ આજુબાજુના ગ્રામજનો સાથે વાર્તાલાપ અને ટીફીન બેઠકમાં ઉપસ્થિત રહેશે. તા.૧૦/૪/૨૦૨૨ના સવારે ૯ કલાકે કેશોદ શહેરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાના કાર્યક્રમમાં તેમજ મંત્રીશ્રીના કેશોદ સ્થિત કાર્યાલય ખાતે કેશોદ તાલુકાના મતદારો સાથે મુલાકાત કરશે.

જ્યારે તા.૧૧/૪/૨૦૨૨ના રોજ સવારે ૮ કલાકે માંગરોળ તાલુકાના થલ્લી ગામ ખાતે શ્રી દાડમબાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ યજ્ઞ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રીશ્રી અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.