માણાવદરની પરિણીતાને પતિ અને સાસુ-સસરાનો ત્રાસ

ઘરકામ બાબતે મેણાટોણા બોલી શારિરીક માનસીક દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માણાવદરની પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ ત્રાસ આપ્યો હીવાની ઘટના સામે આવી છે. જેમાં ઘરકામ બાબતે મેણાટોણા બોલી શારિરીક માનસીક દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

બાંટવા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનાબેન જયદેવભાઇ વરૂ (ઉ.વ.૩૦ રહે.મરમઠ તા.માણાવદર હાલ.માવતરે વેકરી તા.માણાવદર) એ તેના પતિ જયદેવ હાજાભાઇ વરૂ, સસરા હાજાભાઇ દેવશીભાઇ વરૂ, સાસુ સુંદરબેન હાજાભાઇ વરૂ (રહે.બધા મરમઠ તા.માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને ઘરકામ બાબતે તથા ખોટી શંકા કુશંકા કરી મેણાટોણા બોલી શારિરીક માનસીક દુખત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.