પરિણીતા સાથે મીત્રતાનો સબંધ રાખવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી

જૂનાગઢના દોલતપરામાં બે પરિવારો વચ્ચે મારામારી થયા બાદ સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરામાં પરિણીતા સાથે મીત્રતાનો સબંધ રાખવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બે પરિવારો વચ્ચે મારામારી થયા બાદ સામસામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વીજયભાઈ કરસનભાઈ પીપરોતર (ઉ.વ.૨૬ રહે. દોલતપરા સ્વામીનારાયન સોસાયટી શેરી ન.૨ જુનાગઢ) એ આરોપીઓ, રમેશ વેગડવા, રવી વેગડવા, કાળુ ઉર્ફે કાનજી વેગડવા (રહે. બધા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીની પત્ની સાથેના મીત્રતાના સબંધના કારણે મનદુખ રાખી આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે કાનજીભાઈ મનજીભાઈ વેગડવા (ઉ.વ.૪૦ રહ.-દોલતપરા રામમંદીર પાસે જુનાગઢ) એ આરોપીઓ હર્ષદ પરમાર, વીજય પીપરોતર, વીપુલ ચોહાણ (રહે.બધા દોલતપરા જુનાગઢ ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વીરૂધ્ધમા ફરીયાદીએ અગાઉ અરજી કરેલ હોય જેનુ મનદુખ રાખી ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.