સગપણની વાત કરવાના બહાને બોલાવીને યુવકને ઢીબી નાખ્યો

જૂનાગઢના ભીયાળ ગામેં મારામારીની ઘટનામાં બે શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના ભીયાળ ગામેં સગપણની વાત કરવાના બહાને બોલાવીને યુવકને ઢીબી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવકે બે શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો દાખલ કરી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભુપતભાઈ પુંજાભાઈ પરમાર (રહે.ભીયાળ તા.જી જુનાગઢ) એ આરોપીઓ જેન્તીભાઈ ઉક્કાભાઇ પરમાર, કાનો સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને સગપણની વાત કરવા બાબતે બોલાવી ફરીયાદીને જેમ-ફાવે તેમ ઢીકાપાટુનો મુંઢ માર-મારી અને જેમફાવે તેમ ગાળો કાઢી તેમજ આરોપીઓએ ફરીયાદીને ફળીયામાં પડેલ ધોકો લઇ ફરીયાદીને એક ધા છાતીમાં તથા એક ઘા ડાબા પગમાં સાથળ નાં ભાગે મારેલ અને સાહેદોને પણ મુંઢ ઇજાઓ કરી હતી.