વિસાવદરના પિયાવા ગામેં ખુલ્લા કુવામાં ખાબકતા સિંહનું મોત

શિકારની શોધમાં કૂવામાં પડ્યો હોવાનું પ્રાથમિક તારણ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં વધુ એક સિંહના આકસ્મિક મોતની ઘટના બહાર આવી છે. જેમાં વિસાવદરના પિયાવા ગામેં ખુલ્લા કુવામાં ખાબકતા સિંહનું મોત કરુણ મોત નીપજ્યું હતું. જો કે શિકારની શોધમાં સિંહ કૂવામાં પડ્યો હોવાનું પ્રાથમિક તારણ દર્શાવાઇ રહ્યું છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરના પિયાવા ગામેં ખુલ્લા કુવામાં પડી જતા સિંહનું મોત નીપજ્યું હતું. આ મૃતક સિંહની ઉંમર 8 થી 9 વર્ષ હોવાનું અનુમાન છે. આ બનાવની જાણ થતાં વન વિભાગ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વન વિભાગ દ્વારા સિંહ ના મૃતદેહનો કબ્જો લેવાયો છે. જ્યારે શિકારની શોધમાં સિંહ કૂવામાં પડ્યો હોવાનું પ્રાથમિક તારણ દર્શાવીને વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.