તું કરીયાવર ઓછો લાવી છો કહીને પતિએ પત્નીને માર માર્યો

હાલ જૂનાગઢના બીલખામાં રહેતી પરિણીતાએ તેના સુરત રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ જૂનાગઢના બીલખામાં રહેતી પરિણીતાએ તેના સુરત રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તું કરીયાવર ઓછો લાવી છો કહીને પતિએ પત્નીને માર માર્યો હતો તેમજ સાસરિયાની ચઢામણીથી પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીલખા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અર્ચનાબેન અજયભાઇ મકવાણા (ઉ.વ.૧૯, રહે.સુરત વિશાલ નગર ઘર નં.૨૬ ત્રીજા માળે મુળ રહે.ચિત્રોડ તા.તાલાળા જી.ગીર સોમનાથ હાલ.બીલખા નીચલાપરા તા.જી.જુનાગઢ) એ તેના પતિ અજય હરસુખભાઇ મકવાણા, સસરા હરસુખભાઇ હરીભાઇ મકવાણા, સાસુ રેખાબેન હરસુખભાઇ મકવાણા, જેઠ સંજયભાઇ હરસુખભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ ફરીયાદીને કરીયાવર ઓછો લાવવા બાબતે ફરીયાદી સાથે નાની નાની બાબતે બોલાચાલી ઝગડો કરી આરોપીઓ સાસરિયાએ ફરીયાદીના પતિને ફરીયાદી વિરુધ્ધ ખોટી ચઢામણી કરતા હોય જેથી ફરીયાદીના પતિએ ફરીયાદીને અવાર નવાર ઢિકાપાટુનો માર મારી શારિરીક માનસીક દુખ ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.