જુનાગઢ મનપામાં ૧ થી ૭ એપ્રિલ સુધી વેરા વસુલાતની કામગીરી બંધ

જૂનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકાની ઘરવેરા શાખાના નાણાકીય વર્ષ ૨૦૨૨/૨૩ ના સોફટવેર અપડેટની કામગીરી સબબ આવતીકાલ તા.૧ થી ૭ એપ્રિલ સુધી શાખાની વેરા વસુલાતની કામગીરી બંધ રહેશે.

જુનાગઢ મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવે છે કે, જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કત ધારકોને જાણ કરવામાં આવે છે કે, ઘરવેરા શાખાના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨/૨૩ ના મિલ્કતવેરાના કેલ્ક્યુલેશન માટે ઘરવેરા શાખાના સોફટવેર અપડેટની કામગીરી ચાલુ હોય આવતીકાલે તા.૧ થી ૭ એપ્રિલ સુધી ઘરવેરા શાખાની વસુલાતની કામગીરી બંઘ રહેશે તા.૮ એપ્રિલથી વસુલાત તેમજ અન્ય કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે જેની તમામ મિલ્કતધારકોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે.