પતિ-સાસરિયાએ માર મારી પરિણીતાને પુત્ર સાથે ઘરેથી હાંકી કાઢી

માણાવદરના સમેગા ગામે બનેલા બનાવમાં પતિ અને સાસરિયા સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માણાવદરના સમેગા ગામે પતિ-સાસરિયાએ માર મારી પરિણીતાને પુત્ર સાથે ઘરેથી હાંકી કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આથી હાલ.પિયરે રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવ અંગે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાંટવા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષાબેન પીયુષભાઇ મારૂ (ઉવ.૨૬ રહે.સમેગા તા.માણાવદર હાલ.માવતરે નાકરા તા.માણાવદર) એ આરોપીઓ કાકાજી સસરા મનોજભાઇ પરબતભાઇ , કાકાજી સાસુ પુનમબેન મનોજભાઇ, પતિ પીયુષભાઇ જેન્તીભાઇ મારૂ, સસરા જેન્તીભાઇ પરબતભાઇ મારૂ, દીયર પારસભાઇ જેન્તીભાઇ મારૂ (રહે.બધા સમેગા તા.માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી વિરૂધ્ધ ખોટી ચડામણી કરતા અન્ય આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી તથા તમામ આરોપીઓએ ફરીને ગાળો કાઢી ઘરકામ બાબતે તથા શંકા કુશંકાઓ કરી ફરીયાદીને શારીરિક માનસીક દુખત્રાસ આપી ફરીયાદી તથા તેના દીકરા ચાર્વિક ઉવ.૪ વાળાને ઘરેથી કાઢી મુકી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

illustraion of calling with police man