કેશોદના કરેણી ગામે જુના મનદુઃખ મામલે યુવાન ઉપર હુમલો

ત્રણ શખ્સોએ લાકડી તેમજ દોરડા વડે અને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના કરેણી ગામે જુના મનદુઃખ મામલે યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શખ્સોએ યુવકને લાકડી તેમજ દોરડા વડે અને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રામભાઇ બાવનભાઇ કટારા (ઉવ.૩૬ રહે. કરેણી ગામ તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપીઓ અરજણ દાસાભાઇ કોડીયાતર, રામભાઇ, લખમણભાઇ (રહે. ત્રણેય કરેણી તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓને એકાદ વર્ષ પહેલા સામાવાળા સામે થયેલ બોલાચાલી મનદુખનો ખાર રાખી ફરીયાદીને આરોપી અરજણભાઇએ લાકડીથી તેમજ તેમનાભાઇ રામભાઇએ દોરડાથી માર મારી તેમજ લખમણભાઇએ ઢીકાપાટુથી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.