જૂનાગઢમાં કેન્સરની બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢમાં કેન્સરની બીમારીથી કંટાળીને વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કચરાભાઈ નારણભાઈ ચાવડા (ઉવ.૬૦ રહે.પંચેશ્વર જુનાગઢ) નામના વૃદ્ધે ગઈકાલે તા.૨૬ના રોજ પંચેશ્વર મંદી ની આસપાસ કેન્સરની બીમારીના કારણે કંટાળી જઈ કોઈ ઝેરી દવા પી જતા તેમનું જુનાગઢની સરકારી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.