ઘરખર્ચના પૈસા માંગતી પત્નીને માર મારી પતિએ ઘરબાર છોડી દીધું

જૂનાગઢના સરગવાડા ગામે પતિ ઉપરાંત નણદોયા સામે પરિણીતાએ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના સરગવાડા ગામે ઘરખર્ચના પૈસા માંગતી પત્નીને માર મારી પતિએ ઘરબાર છોડી દીધું હતું.બાદમાં નણદોયા પરિણીતા અને તેના બાળકોની યોગ્ય સારસંભાળ લેવાને બદલે ત્રાસ આપતો હોવાથી પરિણીતાએ.પતિ ઉપરાંત નણદોયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આશીયાનાબેન નજીર નોયડા (ઉ.વ.૨૮ રહે.સરગવાડા તા.જી .જુનાગઢ હાલ ટીંબાવાડી દિપાંજલી-૨ની પાસે સરકારી કુવા પાસે પરામા આશિફ ઉમરભાઇ સુમરાના ઘરે) એ આરોપી નજીર વલીમહમદ નોયડા (પતિ), શબીરાભાઇ કાસમભાઇ (નણદોયા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને તેના પતિ અવાર નવાર ઘર ખર્ચના પૈસા ન આપવા બાબતે ગાળો બોલી મારકુટ કરી શારીરીક માનશીક દુખત્રાસ આપી તેના પતિને તેના નણંદોયા ફરીયાદી બેન વિરુધ્ધ ખોટી રીતે ચડામણી કરતા હોય જેથી ફરીયાદી બેનને તેના પતિ એકલી મુકીને જતા રહેતા અને નાના બાળકો કે ફરીયાદીની કોઇ સારસંભાળ રાખતા ન હોય અને ત્રાસ આપી હેરાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.