જૂનાગઢથી ગીર સોમનાથ ખાતે બદલી થતા વીજ કર્મચારીનો આપઘાત

જૂનાગઢના મધુરમ વીજયા લક્ષ્મી પેલેસમાં રહેતા વીજ કર્મચારીના અત્યાતિક પગલાંથી તેના પરિવારમાં અરેરાટી

જૂનાગઢ : જૂનાગઢથી ગીર સોમનાથ ખાતે બદલી થતા વીજ કર્મચારીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જૂનાગઢના મધુરમ વીજયા લક્ષ્મી પેલેસમાં રહેતા વીજ કર્મચારીના અત્યાતિક પગલાંથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મનોજભાઇ છગનભાઇ વરૂ (રહે. મધુરમ વીજયા લક્ષ્મી પેલેસ મકાન નં.૧૦૩ જુનાગઢ) નામના વીજ કર્મચારીએ ગઈકાલે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક GEBમા નોકરી કરતા હોય જેઓની બદલી જુનાગઢથી ગીર સોમનાથ ખાતે થયેલ હોય જેના ટેનશનમા આવી પોતાની જાતે પોતાના ધરે કોઇ ઝેરી દવા પી જતા તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.