ભાઈના મોતનો આઘાત જીરવી ન શકતા બહેને પણ અનંતની વાટ પકડી

કેશોદમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

જૂનાગઢ : કેશોદમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. જેમાં પોલીસની તપાસમાં ભાઈના મોતનો આઘાત જીરવી ન શકતા બહેને પણ અનંતની વાટ પકડી હોવાનું ખુલ્યું છે. પરિણીતાના આંત્યાતિક પગલાથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હિનાબેન દિનેશભાઇ કવા (ઉ.વ.૪૫ રહે. જુનો પ્લોટ સ્વામી મંદિરની બાજુમાં કેશોદ) નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેણીના પતિ દિનેશભાઇ અમૃતલાલ કવાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, તેમના પત્ની હિનાબેન દિનેશભાઇ કવાના મોટાભાઇ રાજુભાઇ ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં મરણ ગયેલ હોય અને તેને ઘરમાં કોઇ ધ્યાન દેવા વાળુ ન હોય જેની ઉપાધી કર્યા કરતા હોય જેથી લાગી આવતા તેઓના ઘરે છતાના હુકમાં દોરી બાંધી પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લીધો હોવાનું બહાર આવ્યું છે.