વિસાવદરના હરિપુર ગામે ભૂલથી ઝેરી દવા પી લેનાર નવોઢાનું મોત

જૂનાગઢ : વિસાવદરના હરિપુર ગામે ભૂલથી ઝેરી દવા પી લેનાર નવોઢાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરના હરિપુર ગામે હરેશભાઇ સાવલીયાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા દિનેશભાઇ રમેશભાઇ પારધી ગત તા.૧૯ના રોજ ભાગીયાની વાડીએ મગફળીમા જંતુનાશક દવા છાટતા હોય જે દવાની ભેળસેળ કરી ડોલમા ભરેલ હોય ત્યારે તેમના પત્ની સરલાબેન દીનેશભાઇ પારધી (ઉ.વ.૧૮)ને તરસ લાગતા તેઓ ભુલથી ડોલમાથી પાણી પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકના ચાર માસ પહેલા જ લગ્ન થયા હતા અને લગ્નજીવનના ટૂંકાગાળામાં આ નવોઢાના આકસ્મિક મોતથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.