ઘરકામ-કરીયાવર મામલે પરિણીતાને પતિ અને સાસુએ માર માર્યો

હાલ માળીયા હાટીનામાં રહેતી રાજકોટની પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ માળીયા હાટીનામાં રહેતી રાજકોટની પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઘરકામ-કરીયાવર મામલે પરિણીતાને પતિ અને સાસુએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રૂપલબેન ઉદયભાઇ પંડ્યા (ઉ.વ.૨૩ રહે.રાજકોટ કોઠારીયા ગ્રામ પંચાયત ગેટ ગોલ્ડન રેસીઙન્સી બ્લોક નંબર ૩૧ રાજકોટ હાલ- કાત્રાસા ગામ તા.માળીયા હાટીના) એ તેના પતિ ઉદયભાઇ રાજેશભાઇ પંડ્યા, સાસુ ભાનુબેન રાજેશભાઇ પંડ્યા (રહે.બંને રાજકોટ કોઠારીયા ગ્રામ પંચાયત ગેટ ગોલ્ડન રેસીઙન્સી બ્લોક નંબર ૩૧ રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદોના પતિ ઉદયભાઇ રાજેશભાઇ પંડ્યા તથા સાસુ ભાનુબેન રાજેશભાઇ પંડ્યા બન્ને મળી ફરીયાદીને ગાળો બોલી ઘરકામ તથા કરીયાવર બાબતે મેણાટોણા બોલી અવાર-નવાર ઢીકાપાટુનો માર મારી ઘરેથી નીકળી જવાની ધમકીઓ આપી સારીરીક માનસીક દુઃખ ત્રાસ આપ્યો હતો.