બાંટવામાં ધંધાકીય બાબતનું મનદુઃખ રાખી યુવકને માર માર્યો

જૂનાગઢ : બાંટવામાં ધંધાકીય બાબતનું મનદુઃખ રાખી યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદી હીતેષભાઇ પ્રહલાદભાઇ હરવાણી (ઉ.વ.૩૩ રહે.બાંટવા તલારોડ ગલી નંબર- ૫ તા.માણાવદર) એ આરોપી જયેશ ઉર્ફે જયલો સુધીરભાઇ દરબાર સામે ફરિયાદ નોંધાવી હતી કે,આ આરોપીએ ફરિયાદી સાથે ધંધા બાબતનું મનદુંખ રાખી આરોપીએ ફરિયાદીના ઘરે જઇ ફરિયાદીને બહાર બોલાવી જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી ઢિંકાપાટુંનો માર માર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.