આગામી તા.૨૭ માર્ચના રોજ વન રક્ષક વર્ગ-૩ની પરીક્ષા યોજાશે

જૂનાગઢ શહેરના ૪૫ પરીક્ષા કેન્દ્ર પર ૧૩૯૮૦ ઉમેદવાર પ્રાથમિક પરીક્ષા આપશે

જૂનાગઢ : ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ,ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ દ્રારા વન રક્ષક વર્ગ-૩ ની ભરતી પરીક્ષા તા.૨૭/૩/૨૦૨૨ના જૂનાગઢ શહેરના ૪૫ કેન્દ્રો પર યોજાશે. જેમાં ૧૩૯૮૦ ઉમેદવાર પરીક્ષા આપશે.

ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ દ્રારા વન રક્ષક વર્ગ -૩ ની પરીક્ષા તા.૨૭ના રોજ ૧૨ થી ૨ ક્લાક સધી યોજાનાર છે.

આ દરમિયાન તા.૨૭ ના સવારના ૧૦ કલાક થી બપોરના ૧૫- ૦૦ કલાક સુધી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જે અન્વયે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વીસ્તારનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં પરીક્ષા કેન્દ્રની આસપાસનાં ૨૦૦ મીટરના વિસ્તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.

પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંચાલકઓ, ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર, વિગેરે, પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો,પરીક્ષા સ્થળમાં લઇ જવા નહીં અને તેમાં મદદગારી કરવી નહીં પરીક્ષાથી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્તારમાં દાખલ થવુ નહીં,કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા, કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તી અને લેખન કાર્યમાં અડચણ, ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ, કરાવવું નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્યકિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્યકિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.