કેશોદ નજીક બાઈક ચાલકે સાયકલ સવાર બાળકને ઠોકરે ચડાવ્યો

જૂનાગઢ : કેશોદ નજીક બાઈક ચાલકે સાયકલ સવાર બાળકને ઠોકરે ચડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આશીષભાઇ જેન્તીભાઇ પરમાર (ઉ.વ ૪૪ રહે. કેશોદ શરદચોક હવેલી સામે તા.કેશોદ) એ આરોપી અજાણ્યો મોટર સાઇકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે કેશોદ શરદચોક હવેલી પાસે વાઘેશ્વરી મંદિર પાસે રોડ ઉપર ફરીયાદીના પુત્ર હેમ ઉમ. ૧૦ સાઇકલ લઇ પસાર થઈ રહ્યો હતો. ત્યારે નિલકંઠ મંદિર પાસે રોડ ઉપર કોઇ અજાણ્યા મોટર સાઇકલ ચાલકએ પાછડથી સાયકલને ઠોકર મારી હેમને નીચે પછાડી ગોઠણમા ઇજા કરી નાશી છૂટ્યો હતો.