હવે પછી અમારા ઘરે આવીશ તો તને જીવતી નહિ છોડીએ કહી પરિણીતાને દમદાટી આપી

હાલ માંગરોળમાં રહેતી રાજકોટની પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ માંગરોળમાં રહેતી રાજકોટની પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં હવે પછી અમારા ઘરે આવીશ તો તને જીવતી નહિ છોડીએ તેમ કહી પતિ અને સાસરિયાઓએ પરિણીતાને દમદાટી આપી હતી.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બશીરુનીશા પરવેઝભાઇ મુખાસમ (ઉ.વ.-૩૧ મુળ રહે.ભવાની પાર્ક-૨, પુનીતનગર, બજરંગવાડી સર્કલ પાસે રાજકોટ હાલ રહે.-માંગરોળ, સૈયદવાડા, મસ્જીદની પાસે તા.-માંગરોળ) એ તેના પતિ પરવેઝભાઇ અબ્બાઉંમરભાઇ મુખાસમ, સસરા અબ્બાઉંમરભાઇ હમીદભાઇ મુખાસમ, સાસુ હમીદાબેન અબ્બાઉમરભાઇ મુખાસમ, નણંદ કરીશ્માબેન સોહીલ જામી (રહે. તમામ ભવાની પાર્ક-૨, પુનીતનગર, બજરંગવાડી સર્કલ પાસે રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને લગ્નના આશરે એકાદ મહીના બાદથી આજદિન સુધી અવારનવાર શારીરીક માનસિક દુ:ખત્રાસ આપી, ગાળો બોલી, શરીરે ઢીકાપાટુનો માર મારી અને “હવે પછી ત્યાં અમારા ઘરે આવીશ તો તને જીવતી ચીરી નાખીશું” તેમ કહી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.