જૂનાગઢમાં માનસિક બિમારીથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ : જૂનાગઢમાં માનસિક બિમારીથી કંટાળી આધેડે આપઘાત જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોકળદાસ વેલજીભાઇ ખાનપરા (ઉવ ૫૬ રહે. ઝાઝરડારોડ નંદવીલા એપાર્ટ મેન્ટ બ્લોક નં ૪૦૧ જુનાગઢ) નામના આધેડે ગઈકાલે પોતાના ઘરે માનસિક બિમારીથી કંટાળી પોતે પોતાની મેળે સેલફોર્સના ટીકડા ખાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.