જુનાગઢ મહાનગરપાલિકા કર્મચારીનું અવસાન થતા તેના આશ્રિતને ૮ લાખની સહાય ચૂકવાય

જુનાગઢ મેયર ગીતાબેન પરમારના હસ્તે આશ્રિતને ચેક અર્પણ કરાયો

જૂનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકા કર્મચારીનું અવસાન થતા તેના આશ્રિતને ૮ લાખની સહાય ચૂકવાય હતી. જેમાં જુનાગઢ મેયર ગીતાબેન પરમારના હસ્તે આશ્રિતને ચેક અર્પણ કરાયો હતો.

રાજય સરકાર ધ્વારા આશ્રિતોને ઉચક સહાય ચૂકવવાનો ઠરાવ થયેલ છે.સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ જુનાગઢ મહાનગરપાલિક રેવન્યુ શાખામાં ફરજ બજાવતા કાયમી પટ્ટાવાળા (વર્ગ ૪)ના શિવવન ગૌસ્વામીનું ચાલુ ફરજ દરમ્યાન અવસાન થયું હતું.આથી સ્વ.શિવવન ગૌસ્વામીનાં વારસદાર ધર્મપત્ની શાલીનીબેન શિવવન ગૌસ્વામીને રૂા.૮ લાખની સહાય મેયર ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવેલ છે.આ તકે સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાશક પક્ષ નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદ ભાઈ ભલાણી, મોહનભાઈ પરમાર ઉપસ્થિત રહયા હતા.