ધુળેટીના તહેવારમાં દરીયા કીનારે નાહવા ગયેલા યુવકનું ડૂબી જતાં મોત

ચોરવાડ નજીક ખંભાળીયા ગામે દરીયા કીનારે બનેલી કરુણ ઘટના

જૂનાગઢ : ચોરવાડ નજીક ખંભાળીયા ગામે દરીયા કીનારે ધુળેટીના તહેવારમાં નાહવા ગયેલા યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ કરુણ ઘટનાથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદીપભાઇ મુકેશભાઇ મકવાણા (ઉ.વ.૨૩ રહે.ખંભાળીયા તા.માળીયા હાટીના) નામનો યુવક ગઈકાલે ધુળેટી હોવાથી આ પર્વ નિમતે ચોરવાડ નજીક ખંભાળીયા ગામે આવેલ દરીયા કીનારે ન્હાવા ગયો હતો અને ધુળેટીનો તહેવાર હોય જેથી દરીયા કીનારે નાહવા જવા ગયેલો યુવક પોતે પોતાની મેળે દરીયાના ઉંડા પાણીમા જતા રહેતા ડુબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.