ઘરમાં પતિને મિત્રો સાથે પાર્ટી કરવાની ના પડતા પત્નીને માર માર્યો

હાલ જૂનાગઢ રહેતી જામનગરની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ જૂનાગઢ રહેતી જામનગરની પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઘરમાં પતિને મિત્રો સાથે પાર્ટી કરવાની ના પડતા પત્નીને માર માર્યો તેમજ પતિ સાથે સાસરિયાએ પણ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શ્વેતાબેન હાર્દીકભાઇ ચોટલીયા (રહે. માંગનાથ રોડ.માંગનાથ મંદીરની બાજુમાં પ્રકાશ એપા બ્લોક ન.૬ ત્રીજો માળ જુનાગઢ) એ આરોપીઓ હાર્દિકભાઇ દયાળજીભાઇ ચોટલીયા (પતિ), પુષ્પાબેન દયાળજીભાઇ ચોટલીયા (સાસુ), પુર્વાબેન દયાળજીભાઇ ચોટલીયા (નંણદ-રહે બધા પટેલ કોલોની શેરી ન.૧૦ રોડ ન.૪ જામનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી બેન જોતી ન હોય જેથી ઘરકામ બાબતે ખોટા વાંક કાઢી કરિયાવર બાબતે મેણા ટોણા બોલી,ગાળો કાઢી,કહેતા કે તારો ખર્ચો તારી જાતે ઉપાડવા માટે નોકરી કરવા દબાણ કરી,મારકુટ કરી,આરોપી પતિ તેમના મીત્રોને લઈને ઘરે પાર્ટી કરતા તેની ફરીયાદીએ ના પાડત તો મારકુટ કરી,જાનથી મારી નાખવાની ધમકી આપી, શારીરિક માનસીક દુઃખ ત્રાસ આપ્યો હતો.