કેશોદ નાથદ્વારા એસ.ટી રૂટ શરૂ કરાયો

જૂનાગઢ : જૂનાગઢ એસ.ટી વિભાગ દ્વારા કેશોદ નાથદ્વારા બસ રૂટ શરૂ કરવામાં આવેલ છે. આ બસ કેશોદથી દરરોજ બપોરના ૧૨:૩૦ કલાકે ઉપડી વાયા જૂનાગઢ, જેતપુર, રાજકોટ, ચોટીલા, લીમડી, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર થઇને વહેલી સવારે ૪:૪૫ કલાકે નાથદ્વારા પહોચશે. નાથદ્વારાથી આ બસ બપોરે ૩:૪૫ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૮ કલાકે કેશોદ ખાતે પહોચશે. આ એક્સપ્રેસ બસનું ભાડું રૂપિયા ૪૪૩ છે. ઉપરાંત આરતીને સમયે નાથદ્વારા આ બસ પહોચશે. તેથી લોકોને શ્રીનાથજી ભગવાનની આરતીનો લાભ મળી શકે. તેમ વિભાગીય નિયામક જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.