માંગરોળમાં એક લાખની ઘરફોડ ચોરી

પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી

જૂનાગઢ : માંગરોળના ચુનાભઠ્ઠી વિસ્તાર કામનાથ રોડ ઉપર આવેલા એક મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને આ મકાનમાંથી એક લાખ રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કાસમભાઇ મુસાભાઇ કોતલ (ઉ.વ.૬૫ રહે.માંગરોળ કામનાથ રોડ ચુનાભઠી વિસ્તાર પોલીસ લાઇનની પાછળ તા માંગરોળ) એ અજાણ્યા તસ્કરોએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ના રોજ રાત્રીના સમયે તસ્કરો તેમના ઘરમાં ચોરીના ઇરાદે ત્રાટકયા હતા અને તસ્કરોએ ફરિયાદીના ઘરમા રાત્રીના સમયે ચોરી છુપીથી આવી દરવાજાનુ તાળુ તોળી ઘરમા અંદર પ્રવેશ કરી ઘરમા રહેલ કબાટનો લો તોડી તેમા રાખેલ રોકડા રૂપીયા ૧૦૦૦૦૦ (એક લાખ)ની ચોરી કરી ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.