તાલાલાના પીપરડા ગામે પરિણીતાને ઘરકામ બાબતે ત્રાસ આપ્યાની ફરિયાદ

જૂનાગઢ : તાલાલાના પીપરડા ગામે પરિણીતાને ઘરકામ બાબતે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.આ બનાવ અંગે પરિણીતા જાનકીબેન દીક્ષીતભાઇ ચાંડેરા (ઉ.વ.૨૬, રહે.જાનુડા)એ તેના પતિ દીક્ષીતભાઇ ભગવાનભાઇ ચાંડેરા, સસરા ભગવાનભાઇ હાજાભાઇ ચાંડેરા, સાસુ હજાયબેન ભગવાનભાઇ ચાંડેરા (રહે.બઘા પીપળવા, તા.તાલાલા, જી.ગીર સોમનાથ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને કામકાજ બાબતે અવારનવાર મેણાટોળા મારી શારીરિક માનસીક દુખ:ત્રાસ આપી ગાળો આપી માર-મારી, જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.