જુનાગઢની આહિર કન્યા છાત્રાલયનું સિલ ખોલાવી ચાલુ કરાઈ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા શાસકપક્ષના નેતા કિરીટભાઈ ભીંભાની અખબારી યાદીમાં જણાવવાનું કે, જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ આહિર કન્યા છાત્રાલય પાસે બી.યુ. સર્ટી ન હોવાથી તેને સીલ મારવામાં આવેલ હોય, આ આહિર કન્યા છાત્રાલયમાં ૧૬૦૦થી વધુ દીકરીઓ અભ્યાસ કરતી હોય, તેથી આ દીકરીઓના અભ્યાસમાં અડચણ ન ઉભી થાય તે હેતુ થી જુનાગઢ મહાનગરપાલિકાના નેતા કિરીટભાઈ ભીંભાએ આહિર કન્યા છાત્રાલયના સભ્યઓને સાથે રાખી બી.યુ સર્ટી તથા તમામ જરૂરી કાગળોની કાર્યવાહી કરી આહિર કન્યા છાત્રાલયમાં મારવામાં આવેલ સીલ આજ રોજ ખોલાવેલ છે.