જુના મનદુઃખનો ખાર રાખી મહિલા પર હુમલો અને ફળિયામાં તોડફોડ

માંગરોળના બંદર દરવાજા પાસે મારામારીના બનાવમાં ત્રણ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માંગરોળના બંદર દરવાજા પાસે જુના મનદુઃખનો ખાર રાખી મહિલા પર હુમલો અને ફળિયામાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ વ્યક્તિઓએ હુમલો કરી ફળિયામાં નુકશાની કર્યાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હવાબેન આમદભાઇ ઝાડલા (ઉ.વ.૪૫ રહે.માંગરોળ બંદર દરવાજા કપાસીયા નળ કાઉન ફાઇબરની સામે તા.માંગરોળ) એ આરોપીઓ આદમભાઇ, અમીનાબેન આદમભાઇ, અનીશાબેન આદમભાઇ (રહે.તમામ માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેમજ આરોપી વચ્ચે રસ્તા બાબતે જુનું મનદુખ ચાલતુ હોય જે મનદુખ રાખી ફરીયાદીને આરોપી આમદભા એ લાકડા વડે હાથના ભાગે ઇજા કરી તેમજ અન્ય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ઢીંકાપાટુંનો મારમારી શરીરે મુંઢ ઇજાઓ કરી ફરીયાદીના ફળીયામાં રહેલ ટાંકી, નળીયા વિગેરેમાં તોડફોડ કરી ફરીયાદીની મિલકતમાં બગાડ કર્યો હતો.