જૂનાગઢના વિજાપુર ગામેં કમરના દુઃખાવાથી કંટાળી વૃદ્ધાએ જાત જલાવી

જૂનાગઢ : જૂનાગઢના વિજાપુર ગામેં કમરના દુઃખાવાથી કંટાળી વૃદ્ધાએ જાત જલાવીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ તાલુકાના વિજાપુર ગામેં રહેતા સવિતાબેન મોહનભાઇ બારૈયા (ઉ.વ ૬૬) નામના વૃદ્ધાને ગત તા.૮ના રોજ કમરના ભાગે મણકાની અંદર લોહી જામી જવા હોય જેથી અસહય દુખાવો રહેતો હોય જેથી કંટાળી પોતે પોતાના ઘરે આપ મેળે અગ્નિસ્નાન કરી લેતા દાઝી જવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.